રવિવાર, 1 જૂન, 2014

મોદી અને મિયાં.....


મોદી અને મિયાં નવાઝ શરીફની મુલાકાતે, આખી દુનિયાના લોકો પાસે મોંમાં આંગળાં નંખાવી દીધાં. એ મુલાકાતને ખુલ્લા દિલે સ્વીકારનારા પણ છે અને ઝીણી નજરે જોનારા વાંકદેખા લોકો પણ છે. આપણને, કોઈ બે જણ પ્રેમથી મળે તેમાં શો વાંધો હોઈ શકે ? આપણે કોઈ મહેમાનને માનથી બોલાવીએ અને પછી તેને બેચાર થપ્પડ મારીએ તે શોભે ? નહીં જ વળી. તો પછી મોદીજીના મહેમાન એ આપણા મહેમાન નહીં ? બસ, તો પછી ચૂપચાપ જોયા કરો અને કોઈ પણ ટીકા કે ટિપ્પણ વગર સો દિવસ પૂરા થાય તેની રાહ જુઓ. કરોડપતિમાંથી અબજપતિ બનેલા આપણા વડાપ્રધાનને એમની કુશળતાનો પરચો આપવા દો. હાલ તો, થોભો અને રાહ જુઓ. ત્યાં સુધી શું કરવું પણ ?


કેમ, રોજ રોજ જાતજાતના, ઝીણાઝીણા ને મોટામોટા સમાચારની લહાણી નથી થતી ? એમાં જ આનંદ માણતા રહો અને આજે તમારા સૌ માટે, હું એક નવી જ વાત લઈને આવી છું તેની મજા લો. મારી પાસે મોદીજીની એક એવી ખાનગી વાત આવી છે કે, જેને આજ સુધી કોઈ જાણી નથી શક્યું. એ તો આ મિયાં નવાઝ શરીફભાઈ આવ્યા તો રાઝ ખૂલ્યો, બાકી તો મોદીજી કોઈને આ વાત જણાવત પણ નહીં. વાત જાણે એમ છે કે, આપણા સીએમ જે પહેલાં પણ સીએમજ હતા, તે હવે ‘પીએમ’ બન્યા છે. ભલે પીએમ બન્યા; પણ તેથી કંઈ સીએમતો નથી મટી ગયા ! એટલે એમની બહારી રહેણીકરણી ભલે ‘પ્રધાનમંત્રી’ તરીકેની રહે; પણ જ્યારે પોતાના રસના કે શોખના વિષય સામે આવે ત્યારે તેઓ એમાં સીએમબની ઝુકાવી દે છે. દા.ત. રસોઈકળા.


ચોંકી ગયા ને ? જેણેજેણે જાણ્યું, તેને આમ જ ચોંકવાનું ગમેલું. મોદી અને રસોઈકળા ? ના હોય ! અરે, શું ના હોય ? જોયું નહીં, નવાઝ શરીફની મહેમાનગતિ કરતી વખતે કેટલા પ્રેમથી એમને આગ્રહ કરીકરીને ખવડાવતા હતા તે ? ખુદ એકએક ગુજરાતી વાનગીની જાણકારી પણ વિસ્તારથી આપતા હતા ! નવાઝભાઈ તો ખાવાનું ભૂલીને બે ઘડી તો આપણા મોદીસાહેબને જ જોતા રહી ગયેલા. એ તો મોદીજીએ એમને  બટાકુંવડું ધર્યું ત્યારે જ નવાઝમિયાં હોશમાં આવ્યાતા.


લો સાહેબ, આ વડું ચાખો.  આ અમારા ગુજરાતીઓની કમજોરી છે. દરેક ઘરમાં મહેમાનને ખુશ કરવામાં આ વડું બહુ કામ આવે છે. સાથે જો કોથમીરફુદીનાની લીલી ચટણી હોય અથવા ખજૂરઆમલીની ખાટીમીઠી ચટણી હોય તો સોનામાં સુગંધ ભળે. લો, આ લીલી ચટણી પણ સાથે ચાખો. મજા આવી જશે. મુંબઈના લોકોએ એને પાંઉમાં સંતાડીને પાંઉવડું બનાવી કાઢ્યું, બાકી એની અસલી મજા તો આ સીઝનમાં રસ ને પૂરી સાથે કે પછી વરસતા વરસાદમાં કે પછી કડકડતી ઠંડીમાં જ છે.


બટાકાવડાંનાં આટલાં વખાણ સાંભળીને કોના મોંમાં પાણી ન છૂટે ? બન્ને મહાનુભાવોએ તો પોતાનાં(વધેલાં) પેટની પરવા કર્યા વગર ચારેક બટાકાવડાં એમાં ઓરી દીધાં. પછી તો, ‘નમોજી’એ બટાકાવડાની રીત પણ બહુ હોંશથી મિયાંજીને શીખવી. (કેટલી સમજ પડી તે મિયાંજી જ જાણે !)


આખા શાહીભોજન દરમિયાન, નમોજી કઢી અને ખીચડી અને શીખંડ અને પાતરાં જેવી અનેક વાનગીઓનાં વખાણ કરતા રહ્યા અને દરેકની બનાવવાની રીત પણ વિસ્તારથી સમજાવતા રહ્યા. મિયાંજી બહુ મજેથી એમની વાતોની મજા, ભોજનની સાથેસાથે લેતા રહ્યા. મિયાંજીએ નક્કી કર્યું કે, આજ પછીની દરેક મુલાકાતમાં પોતાનાં મિસિસને સાથે લાવવાં. નમોજી પાસે જો બધી વાનગીઓ એક વાર એ બરાબર શીખી લે, તો પછી રોજ જલસા ! પેલી બાજુ નમોજી દાઢીમૂછમાં મલકતા હતા, ‘દુશ્મનને સીધો કરવાનો રસ્તો પણ પેટમાંથી જ પસાર થાય છે..!
(‘આમ તો જાહેર ને જાણીતો છે આ મંત્ર; પણ આપણે તે ખાનગી રાખવો પડશે.’)


(મિયાં શબ્દ, પતિ–સજ્જન–મુસલમાન ગૃહસ્થ જેવા વિશાળ અર્થો ધરાવે છે. વધુ અર્થો માટે (મગજમાં આવેલા અનર્થોની અર્થી માટે)
જુઓ...http://gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%AE%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82*/


9 ટિપ્પણીઓ:

  1. કલ્પનાબેન , તમારો ખબરપત્રી મોદીની રસોઈકલાની છુપી વાત ક્યાંથી લાવ્યો એ લેખમાં ખબર ન પડી !

    બાકી જે રીતે મોદીએ મિયા સાહેબને ગુજરાતી વાનગીઓ ખવડાવી એની તમારી વાતો મોમોમાં પાણી સાથે વાંચી .

    મોદીની રસોઈ મિયા સાહેબને પેટની પીડા ન કરાવી દે તો સારું . હા.....હા ....હા ...

    જવાબ આપોકાઢી નાખો
  2. THANKS FOR FOR NICE INFORMATION SHARING
    CHANDER MENGHANI

    જવાબ આપોકાઢી નાખો
  3. HAHAHAHAHAAAAA....

    WAH....TAMRI VATO NA WADA THIJ PET BHARAI JAAY ANE TYAREJ MARKMARK THAI JAVAYU!!!!

    BHUPENDRA JESRANI.

    જવાબ આપોકાઢી નાખો
  4. Vah...Kalpanaben...Hasyano rasto pan petmathi j pasar thato hashe...lage raho....

    જવાબ આપોકાઢી નાખો
  5. Bahu saras mane aa lekh khoob gamyo. Miya Navazna patni aavi vangio banavshe khara?

    જવાબ આપોકાઢી નાખો
  6. આપ સૌને લેખ ગમ્યો તે બદલ આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  7. Jo - jo !!......... Wakhani khichdee dadhe naa vadge.....

    " Baira o na pat maa khangi vaat naa j take - ne jaldee ma jaldi bahaar nikli jaay " A vaat puvaar thai nej raheshe !.......Lol

    જવાબ આપોકાઢી નાખો